આજરોજ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી એ નાલાસોપારા ખાતે આવેલ રઘુકુળ નગરની પ્રોપર્ટીને રીડેવલપમેન્ટ કરવા માટે સ્થાનિક આગેવાન શ્રી ભાવિકભાઈ ચંદારાણા અને શ્રી નવીનભાઈ પોપટને સાથે રાખી મુંબઈથી ખાસ પધારેલ શ્રી કુલેશભાઈ ત્રિવેદી કે જેઓ નાલાસોપારા અને મુલુંડની પ્રોપર્ટીના રીડેવલપમેન્ટ માટે કામ કરી રહેલ છે તેમની સાથે મીટીંગ યોજી હતી.
શ્રી કુલેશભાઈ ત્રિવેદીએ આ અંગે નો પ્લાન તૈયાર કરીને લાવ્યા હતા જેમાં અમુક સુધારા સુચવી પ્રમુખ શ્રી સતિષભાઈએ આવતા અઠવાડિયે ફરી મિટિંગ યોજી તે અંગે ઘટતું કરવા માટે જણાવ્યું હતું.