આજ ૨૨ જુલાઈ ૨૦૨૧ ના રોજ લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતીશ ભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ સમિતિ ના પ્રમુખ શ્રી કિરીટભાઈ ભીમાણીની પ્રેરણા થી પર્યાવરણ સમિતિના અભિયાન “વૃક્ષ વાવો ધરતી બચાવો અભિયાન ૨૦૨૧” અંતર્ગત પોરબંદર જિલ્લામાં આવેલ ચમ મેમોરિયલ સ્કુલ ખાતે વૃક્ષના રોપા નું વિતરણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો.
આ કાર્યક્રમના અતિતી વિશેષ તરીકે લોહાણા સમાજના પ્રમુખ તથા લોહાણા મહાપારિષદ ના રિજિયોનલ પ્રમુખ, પોરબંદર શ્રી સંજય કરિયા, લોહાણા સમાજના મંત્રી તથા લોહાણા મહાપરિષદ ના રિજિયોનલ મંત્રી શ્રી રાજેશ લાખાણી ખાસ ઉપસ્થિત રહેલ હતા. તદુપરાંત આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી મિત્રો શ્રી કમલ પાઉં, ડાઇરેક્ટર, ગજાનંદ એકેડમી પ્રા. લિમિટેડ, શ્રી હિરેનભાઈ પાઉં, ડાયરેકટર,
ગજાનંદ એકેડમી પ્રા. લિમિટેડ શ્રી હાર્દિક રાજા, લોહરણા યુવા સેના સ્થાપક પ્રમુખ શ્રી નિકુંજ પંચમતિયા, લોહાણા યુવા સેના પૂર્વ પ્રમુખ તથા શ્રી જયેશ પોપટ, કરિયાણા એસોશિયન પ્રમુખ પોરબંદર હાજર રહેલ હતા. ઉપરાંત ચમ સ્કુલ ના આચાર્ય તથા શાળાના સ્ટાફ અને વિધાર્થીઓએ પણ હાજરી આપી અને વૃક્ષારોપણ કરેલ હતું.


